ગીતામાંથી શીખવા જેવી જીવનની વાતો-લેખકઃ પી.કે દાવડા 

35056728712_caa99a586f_b
ગીતામાં માત્ર ધર્મની વાત નથી, એ જીવન જીવવાની રીત બતાવે છે. ગીતા માત્ર પરલોકની વાત નથી કરતી, ગીતા આ લોકમાં સુખ, શાંતિ અને તંદુરસ્તી કેમ મળે એની વાત કહે છે. ગીતા માત્ર વૃદ્ધાવસ્થામાં સમજવાની કૃતિ નથી, એ બાળપણથી જ આત્મસાત્ કરવા જેવી અનેક શીખામણ આપે છે.

ગીતા અર્જુન અને શ્રીકૃષ્ણ વચ્ચેનો સંવાદ છે. યુદ્ધના મેદાનમાં ઘણાંબધા સગા-સંબંધીઓ અને ગુરુજનોને જોઈ, અર્જુન લડવાનો વિચાર માંડી વાળે છે. અહીંથી ગીતાની શરૂઆત થાય છે. કૃષ્ણ અને અર્જુન મિત્રો છે, એટલે બન્ને વચ્ચે દલીલો થાય છે. બન્નેનો અલગ અલગ મત છે, એટલે ચર્ચાના રૂપમાં દલીલો થાય છે, પણ ક્યાંયે એક બીજાને ઉતારી પાડવાનો પ્રયાસ નજરે પડતો નથી. ક્યાંયે એક બીજા ઉપર ગુસ્સે થતા હોય એવું લાગતું નથી. અર્જુન શંકાઓના રૂપમાં સવાલ કરે છે, અને કૃષ્ણ સમાધાનના રૂપમાં જવાબ આપે છે. આમ ગીતા આડકતરી રીતે બે સજ્જન માણસો વચ્ચે ચર્ચા કઈ રીતે થવી જોઈએ એનું એક ઉદાહણ છે.

કૄષ્ણની પ્રથમ દલીલ એ છે કે અર્જુન ક્ષત્રિય છે, એટલે અન્યાય સામે લડવાની એની ફરજ જ નહીં, એનો એ ધર્મ છે. એ ધર્મ પ્રમાણે નહીં વર્તે તો જગતમાં એની બદનામી થશે. આ વાત કૃષ્ણ અર્જુનને સમજાવીને કહે છે, એની ઠેકડી ઉડાડીને નથી કહેતા. સાચી વાત પણ સારી રીતે કહેવી જોઈએ, એ ગીતાની બીજી શીખ છે. ગીતા એ પણ શીખવે છે કે બે મિત્રો વચ્ચે મદભેદ હોય તો પણ શિષ્ટાચાર છોડીને વર્તવું ન જોઈએ.

ગીતામાં એકની એક વાત ફરી ફરી કહેવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે Practice makes man perfect. કૃષ્ણ પોતાની દલીલ અર્જુનના મનમાં ઠસાવવા માટે એકની એક વાત અલગ અલગ રીતે કહે છે, જ્યારે એમને પાકી ખાત્રી થાય કે અર્જુન આ વાત હવે સમજી ગયો છે, ત્યારે એ બીજી નવી વાતો કહે છે. શિક્ષકોએ આ વાત ગીતામાંથી સમજવાની જરૂર છે. અર્જુન વચ્ચે વચ્ચે અનેક શંકાઓ વ્યક્ત કરે છે, અનેક સવાલો પૂછે છે, છતાં કૃષ્ણ કંટાળ્યા વિના શાંતિથી દરેક સવાલનો જવાબ આપે છે. સારા ગુરુએ શિષ્ય પ્રત્યે આવો ભાવ કેળવવો જોઈએ.

હકીકતમાં મહાભારતની કથાનો સંદેશ સ્પષ્ટ છે. આપણી અંદર કૌરવો જેવી ૧૦૦ બૂરાઈઓ છે, તો આપણી અંદર પાંડવો જેવી પાંચ સારી વસ્તુઓ પણ છે. આ બધા ખરાબ-સારા વિચારો આપણી અંદર એક સાથે રહેતા હોવાથી આપણને એ બધાને સાચવવાની આદત પડી જાય છે, અને એ બે વચ્ચે લડાઈ કરવાથી કતરાઈએ છીએ. ગીતા કહે છે, આ ખોટું છે, મક્કમતાથી બૂરાઈઓ સામે લડાઈ કરી એમાંથી મુક્તિ મેળવવી જોઇએ. આપણે આપણી આંતરિક બૂરાઈઓ સામે લડવામાં અર્જુનની જેમ આનાકાની ન કરીએ એટલા માટે ગીતા આપણને કૃષ્ણ બનીને માર્ગ દેખાડે છે.

ગીતાના કર્મ સંબંધી વિધાનો અંગે ઘણી ગેરસમજ પ્રસરેલી છે. ગીતા કહે છે, જે કંઈ કરો એ મન દઈને કરો, પુરી ઈમાનદારીથી કરો, પરિણામ અંગે શંકા-કુશંકાથી મુક્ત થઈને કરો. બીજા શબ્દોમાં રમો, આનંદ મેળવવા રમો, પણ જીતવા માટે જ રમવું અને જીત ન મળે તો ન રમવું એવું ન હોવું જોઈએ. વ્યહવારમાં તો આપણે હંમેશાં બોલીએ છીએ કે આપણે તો આ કામ ઈમાનદારીથી કર્યું છે, જોઈએ હવે પ્રભુ કેવો બદલો આપે છે. ગીતા કહે છે, આ માત્ર બોલવાની વાત નથી, જીવનના એકે એક કામ માટે આ વૃતિ કેળવવાની અને અમલમાં લાવવાની વાત છે. ગીતામાં તમને કર્મનું ફળ નહીં મળે એવું ક્યાંયે કહ્યું નથી. એ તો માત્ર કેવું ફળ મળશે એના પૂર્વાનુમાનથી દૂર રહેવાની શીખામણ આપે છે.

પ્રકૃતિમાંથી આપણને કેટલી બધી અમુલ્ય વસ્તુઓ મફતમાં મળે છે. સૂર્યનો પ્રકાશ, જીવન જીવવા માટે જરૂરી પ્રાણવાયુ, પાણી વગેરે વગેરે; આપણે જો આના બદલામાં પ્રકૃતિને પાછું કંઈ ન આપીએ તો આપણી ગણત્રી ચોરમાં થવી જોઈએ. પ્રકૃતિ આપણી પાસેથી કંઈ વધારે માંગતી નથી. એ માત્ર આપણને આપણી ફરજ પ્રમાણિકતાથી બજાવવાનું કહે છે, જેથી પુરૂષ અને પ્રકૃતિ બન્ને ટકી રહે. પુરૂષ અને પ્રકૃતિ વચ્ચે પ્રમાણિક આપ લે કરવાથી જ પૃથ્વી ઉપરનું જીવન ટકી રહેશે. આપણે આપણી રોજીંદી જિંદગીમાં માણસ અને માણસ વચ્ચે કેવી સરળ રીતે આપ-લે, લેવડ-દેવડનો વ્યવહાર કરીયે છીયે? તો પછી આપણે પ્રકૃતિ સાથે આવો વ્યહવાર કેમ કરતા નથી?

ગીતામાં કહ્યું છે કે પુરૂષ અને પ્રકૃતિ એક જ પરમાત્માના અંશ છે. જો આ વાત સ્વીકારી લેવામાં આવે તો માણસ અને માણસ વચ્ચેના ધર્મના ઝગડા બંધ થઈ જાય, અને પશુ-પક્ષીઓ પ્રત્યેનો પણ આપણો વ્યહવાર બદલાઈ જાય. ગીતાની શીખ પ્રમાણે વર્તવા સ્વસ્થ શરીર અને સ્વસ્થ મન હોવાં જરૂરી છે, જેના માટે સ્વસ્થ ખોરાક લેવો જરૂરી છે. ગીતા રોજીંદા જીવનમાં ખોરાકનું મહત્વ સમજાવે છે, કેવો ખોરાક ખાવો જોઈએ અને કેવો ખોરાક ત્યજવો જોઈએ, એ ગીતામાં વિગતવાર સમજાવ્યું છે.

ગીતામાં એક મોટી વાત કહી છે. કોઈ પણ કર્મ આપમેળે સારું કે ખરાબ નથી, એનો આધાર એ ક્યા સારા કે ખરાબ ધ્યેય માટે કરવામાં આવ્યું છે એના ઉપર છે. દરેક વ્યક્તિને અમુક કામ એક કર્તવ્ય તરીકે મળ્યું હોય છે. જેલમાં ફાંસીગર જે કામ કરે છે એમાં કોઈ પાપ નથી. એ માણસને મારતો નથી, એ માત્ર કાયદાનું પાલન કરે છે.

અંતમાં ગીતા એક સંદેશ આપે છે કે સારી અને સાચી સલાહ આપવી એ તમારું કર્તવ્ય છે, પણ સામા માણસે તમારી સલાહ પ્રમાણે વર્તવું કે પોતાની ઈચ્છા પ્રમાણે વર્તવું એ સામા માણસ ઉપર છોડી દેવું જોઈએ. કૃષ્ણે પણ અર્જુનને અંતમાં એ જ કહ્યું છે કે મારે તને જે કહેવું હતું તે મેં કહ્યું છે, હવે તને જે યોગ્ય લાગે તે કર. ગીતાના પંથે ચાલીએ તો આપણે પણ આપણી ઈચ્છાઓ બીજા પર લાદવાપણું ન રહે.

http://mavjibhai.com/gadya/geetanoupdesh.htm

તારે તે નવકાર

મારા રમેશ મામા કહેતા કે ભવ સમુદ્રને ભાવ થી તારે તે નવકાર.

તેનો જિવંત દાખલો એટલે મારી બા. તેમના શ્વાસે શ્વાસે નવકાર..તેઓ કહેતા કે નવકાર ગણવામાં ક્ષણ નો ય પ્રમાદ ન કરવો તેઓ ગણતરી ન કરતા અને કહેતા જેટલા વધુ નવકાર તેટલો ભવ ભવાંતરે ફેરા ઘટશે.

વૈજ્ઞાનિક મન મારું આ વાત માનતું નહોંતું ત્યારે મામા કહે વિજ્ઞાન ને પૂરાવા જોઈએ અને ધર્મને શ્રધ્ધા.

હું કહેતો ક્યાંક શરુઆત હોય તો સમજ પડેને કે કેટલા નવકારે આ જ્ન્મ જન્માંતર નાં ફેરા ટળે. અને આપણે સિધ્ધ થઇને સિધ્ધ શીલા પર વસીએ..ત્યારે જવાબ તો એમજ મળ્યોકે કર્મ સત્તા તેનો હિસાબ રાખે આપણે તો તેમણે બતાવ્યા રસ્તે ચાલવાનું. મેં પ્રશ્ન કર્યોકે રસ્તો તો જડતો નથી અને ખબર પણ પડતી કે તે રસ્તો સાચી દિશામાં જાય છે કે નહીં.

સિધ્ધ ભગવંતો એ સુચવેલા રસ્તા પર શ્રધ્ધાથી ચાલવાનું તો શરું કર તને પ્રશ્નો થાય છે તને તેના જવાબો પણ મળશે મામાએ બહું વિનયપૂર્વક સમજાવ્યું

.25931992767_ecc25ddaec_b

Shree Navkarmantra View (1)

નવકાર મહામંત્રનું મહાતમ્ય

https://gu.wikipedia.org/wiki/%E0%AA%A8%E0%AA%B5%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0_%E0%AA%AE%E0%AA%82%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0

Namo arihantanam

 

Description
English: Namokara Mantra
Date
Source archive.org/details/keyofknowledge
Author Champat Rai Jain

 

જૈન ધર્મના આચાર્યો તો નવકાર મંત્ર પ્રભુ આદિનાથનાં સમયથી અસ્તિતવ્માં હોવાનું કહે છે તેથી તેને શાસ્વતા પણ કહે છે.. જે સદા રહેશે પરંતુ  વીકીપીડિયાનાં સંશોધનોમાં ક્રીસ્ટ્નાં પહેલા ૧૬૨ વર્શ પહેલાનાં સિક્કાઓ ઉપર ખરાવેલ રાજાનાં સિક્કાઓ ઉપર નવકાર મંત્ર જોવા મળ્યો અને તે સમ્યની હાથી ગુફામાં શિલાલેખ માં પણ તેનો ઉલ્લેખ છે

==History==
[[File:Hatigumfa.jpg|thumb|250px|Hathigumpha inscription by King Khāravela at Udayagiri Hills]]
A 162 BCE inscription, the [[Hathigumpha inscription]] starts with the Namokar Mantra. It was inscribed by the Jain monarch [[Kharavela]].<ref>Rapson, “Catalogue of the Indian coins of the British Museum. Andhras etc…”, p XVII.</ref><ref>[http://www.mssu.edu/projectsouthasia/HISTORY/PRIMARYDOCS/EPIGRAPHY/HathigumphaInscription.htm Full text of the Hathigumpha Inscription in English] {{webarchive|url=https://web.archive.org/web/20061117151339/http://www.mssu.edu/projectsouthasia/HISTORY/PRIMARYDOCS/EPIGRAPHY/HathigumphaInscription.htm |date=17 November 2006 }}</ref>

નવકાર મંત્રની આરાધના અર્થે  ગુરુજનો પાસેથી જાણેલી માહીતિ.

૧. રોજ સવારે ઉઠીને ૧૨ નવકાર એટલેકે એક છુટી નવકાર વાળી લઘુત્તમ ગણવી

૨. સમય હોય અને સ્થિરતા હોય તો એક બાધી નવકાર વાળી ગણવી.

૩ સમય હોય અને સ્થિરતા હોયતો એક સામાયીક કરવું અને તેમાં બાધી નવકારવાળી ગણવી.

અલ્પમતિ હું. વિજ્ઞાન નાં જ્ઞાન સાથે આટલું સમજ્યો છું ધર્મગુરુ આપણ ને કશું કરવાનું કહે તે તેમના માટે તો નથી જ. આપણે સંસારિક કામોમાંથી સમય કાઢીને આટલું પણ કરીયે તો થતા ફાયદાઓ જણાવું.

૧ મન એ આપણું દોસ્ત છે અને દુશ્મન પણ છે. દોસ્ત એ ત્યારે બને છે જ્યારે તે આપણું કહ્યું માને તો. બાકી એને તો ઠેકડા મારવાની આદત હોય છે. અને દરેક વખતે તેના ઠેકડા ાપણ ને હિતકારી બને છે તેવું હોતું નથી. તે મનને કાબૂમાં કરવાની આ એક સારી આદત છે.

૨.જેમ જેમ નવકાર મંત્રનાં જાપ આપ ગણતા જશો તેમ તેમ તેના ચમત્કારો આપ જોતા થશો. પહેલો તો ચમત્કાર આપ ધર્મને માનતા થશો તેમ તેમ તમને તેની વાત ગમતી થશે.

૩. પંચ મહાવ્રતો જેવાકે સત્ય, અહિંસા,ક્રોધ ન કરવો, ચોરી ન કરવી કે વણ જોઈતું નવ સંઘરવુ આત્મ સાત થતું જશે

૪. કહેવાય છે કે સારી ટેવ પાડતા જાગરુકતાની જરૂર પડે છે . પણ ખરાબ ટેવો આપો આપ પડે છે જેમ ગુલાબને જાળવણીની જરૂર પડે જ્યારે વગડાનાં ફુલોને વાવવા જવા પડતા નથી. તેમ નવકાર વાળી ગણવાની ટેવ શરૂ આતમાં જાગરૂકતા માંગશે પણ પછીથી એ ટેવને લીધેજ પ્રમાદ અને આળસ ભાગી જશે.

૫. છેલ્લાં મારા આ વિધાન ને વિરોધનો વાવંટોળ મળવાનો છે છતા અલ્પમતિ તરીકે કહું છું સારા કર્મો હશે તો જ તમને નવકાર વાળી ગણવાનું મન થશે..

 

 

 

 

 

શિવ તાંડવ સ્તોત્રમ- કેદારસિંહજી મે. જાડેજા

shivatandav

પ્રસ્તાવના

ઋષિ પુત્ર રાવણ ભલે રાક્ષસ યોનિમાં જનમ્યો હોવા છતાં વિદ્વાન અને શિવ ભક્ત હતો, અનેક ગ્રંથો, સ્તોત્ર, રાવણ સંહિતા રચયિતા તરીકે તેણે સિદ્ધિ પ્રાપ્ત કરેલી, શિવજી પાસેથી તપ દ્વારા અને સાધના થી શક્તિ મેળવેલી, સંસ્કૃતમાં તેનું જ્ઞાન અદ્ભુત હતું. શિવ તાંડવ સ્તોત્ર ભારત ની ઘણી ભાષાઓમાં ઉપલબ્ધ છે, સંસ્કૃત,હિંદી તેમજ અન્ય ભાષા તેના દાખલા રૂપ છે, પરંતુ મારા અભ્યાસ પ્રમાણે તેનું ગુજરાતી ગદ્ય,પદ્ય અનુવાદ/ભાવાર્થ ક્યાંય જોવા મળતો નથી, તેથી ૧૭ સ્લોકમાં રચાયેલા આ સ્તોત્રનો ગાઈ શકાય તેવા રાગમાં અને ઘેર ઘેર વાંચી શકાય તેવી ભાવના થી મારા વડીલ મિત્ર શ્રી જીતેન્દ્રભાઈ પાઢ- તંત્રી શ્રી, નૂતન નગરી ગુજરાતી સાપ્તાહિક નવી મુંબઈ ના સૂચન થી આ સ્તોત્ર નો ગુજરાતી લીપિમાં મેં નમ્ર પ્રયાસ કર્યોછે, મૂળ શ્લોક સાથે ક્યાંક લય તેમજ ઢાળ ગુજરાતીમાં બેસાડવા જતાં ક્યાંક મારે અનાયાસે છૂટ લેવી પડીછે તે ક્ષમ્ય ગણી દરગુજર કરી ભક્તિ ભાવે આ સ્તોત્ર નિત્ય પાઠમાં સૌ વાપરે તેવી મારી અંગત ઇચ્છા રહી છે.

આ શિવ તાંડવ સ્તોત્ર પાછળની નાનકડી કથા એ છે કે તપ કરતાં રાવણ ને ખૂબ મદ ચડ્યો અને ગર્વિષ્ઠ થયો, તેણે પોતાની શક્તિનું પ્રદર્શન કરવા પવિત્ર કૈલાસ પર્વતને ઉઠાવવાનો પ્રયત્ન કર્યો ત્યારે શંકર ભગવાને તેને પરચો આપવા માટે કૈલાસ પર્વતનો ભાર વધારી દીધો અને ખૂબ વજનદાર બનાવી દીધો, આમ ઓચિંતો પર્વતમાં વજન વધવાથી રાવણ ધુંઆપૂંઆ થઈ ગયો અને ક્રોધે ભરાયો, પણ આ વજન વધારે વાર ઉપાડવા સમર્થ ન રહેતાં તેનો હાથ પર્વની નીચે દબાઈ ગયો, અનેક પ્રયત્નો કરવા છતાં કોઈ કારી ન ફાવી ત્યારે તેણે આ વેદનામાંથી મુક્ત થવા માટે કૈલાસપતિ શ્રી મહાદેવની હૃદય પૂર્વક સ્તુતિ સાથે વિનવણી કરી ત્યારે ભગવાન શિવ પ્રસન્ન થયા અને રાવણને કૈલાસ પર્વતના ભાર થી મુક્ત કર્યો, રાવણની આ સ્તુતિ એટલેજ વિદ્વતા પૂર્વકનું આ શિવ તાંડવ સ્તોત્રછે જેમાં વિકરાળ, ભયંકર રુદ્ર સ્વરનું નિરૂપણ થયુંછે, રાવણની પંડિતાઈનું સુંદર દર્શન કરાવેછે, આ સ્તોત્રનું દરરોજ જે વ્યક્તિ પાંચ વખત મનન કરશે,વાંચન કરીને લય બદ્ધ ગાન કરશે,અને પાંચ બીલી પત્ર તેમજ પાંચ શ્વેતાર્ક પુષ્પથી મહાદેવ શિવને ભજશે તેની મનોકામના પૂર્ણ થશે.

 

 

 શિવ તાંડવ સ્તોત્રમ ગુજરાતી અનુવાદ        ભાવાર્થ સાથે

જટાજૂટ જટા બની, વિશાળ વન ઘટા ઘનિ, પવિત્ર ગંગ ત્યાં વસી, ગરલ કંઠ પલાળતી

સર્પ જ્યાં અનેક માપ, ડમરુ નાદ પ્રચંડ થાપ, તાંડવ શિવ નાચતાં, કૃપા કરો કૃપા કરો..૧

 

જે શિવજીની ઘટાટોપ જટાની અંદરથી ગંગાજીની ધારા પ્રવાહિત થઈને શિવજીના ઝેરને સ્થાન આપેલા કંઠને પ્રક્ષાલિત કરેછે, અને જેમના કંઠમાં અનેક પ્રકારના સર્પોની માળા લટકી રહીછે, અને શિવજી મહારાજ ડમ ડમ ડમ નાદ કરીને ડમરુ વગાડી રહ્યાછે, એવા શિવજી અમારું કલ્યાણ કરો. ૧

 

કોચલી જટા મહીં, ગંગ ત્યાં ભમે ઘણી, ચંચલ જલ ધાર થી, શિવ શીશ પખાળતી

ધધકી રહી અગન જ્વાળ, શિવ શિરે ચમકદાર, શોભે ત્યાં ચંદ્ર બાળ, કૃપા કરો સદા કાળ..૨

 

અતિ ગુંચવાએલી જટામાં ગંગાજી પોતાની વેગીલી ધારાથી ભ્રમણ કરીને શિવજીના શીશ ને પખાળેછે. અને જેમના મસ્તક પર અગ્નિ ની જ્વાળા ધધકી રહીછે, અને જેમના મસ્તક પર બાળ ચંદ્ર શોભાયમાન છે, એવા શિવજીના ચરણોમાં મારું મન સદા પ્રેમ સભર રહે.. ૨

 

નગાધિરાજ નંદિની, વિલાસ સંગ આનંદીની, કરે કૃપા દયાળ તો, ભીડ ટળે ભક્તની

દિગંબરા જટા ધરા, લગાવું ચીત શિવ ચરણ, ભભૂત નાથ ભવ તરણ, પ્રફુલ્લ ચિત તવ શરણ..૩

 

પર્વતરાજ હિમાલયપુત્રિ ના આનંદ મય કટાક્ષથી આનંદિત શિવજીની કૃપા થાય તો ભક્તોના હર પ્રકારના દુખો દૂર થાયછે, એવા દિગંબર જટાધારી ભભૂત નાથના ચરણોમાં મારું ચિત ક્યારે આનંદિત રહેશે…૩

 

શોભે જટા મણીધરો, પ્રકાશ પુંજ ફણીધરો, દિશા બધી પ્રકાશતી, કેસર વરણસી ઓપતી,

ગજ ચર્મ શોભતાં, સર્વ પ્રાણી રક્ષતાં, મન વિનોદિત રહે, શિવ કેરા શરણમાં..૪

 

શીવજીની જટામાં રહેલા ફણીઘરો ની મણીઓના પ્રકાશથી દિશાઓ  કેસર વરણી શોભેછે,  ગજાચર્મ જેવા વસ્ત્રથી  શોભતાં, સર્વે પ્રાણીઓનું રક્ષણ કરનારા આપના ચરણોમાં મારું મન સદા આનંદિત રહે…૪

 

સહસ્ત્ર દેવ દેવતા, ચરણ કમલને સેવતા, ચડાવી માથે ચરણ ધૂલ, પંકજ પદ પૂજતા.

શોભતા ભુજંગ જ્યાં, ચિત રહે સદાય ત્યાં, કૃપાળુ ચંદ્ર શેખરા, આપો સદાએ સંપદા..૫

 

સર્વે દેવતાઓ જેમના ચરણ કમળ ને સેવે છે, જેમના ચરણોની ધૂળ માથા પર ધારણ કરેછે, જેમને સર્પોની માળા ધારણ કરી છે, એવા હે શિવ અમોને સદા માટે સંપત્તિ પ્રદાન કરો…૫

 

ગર્વ સર્વ દેવના, ઉતારવા અહમ્ સદા,  કર્યો ભસ્મ કામને, જે રૌદ્ર રૂપ આગથી.

સૌમ્ય રૂપ શંકરા, ચંદ્ર ગંગ મુકુટ ધરા, મૂંડકાની માળ ધરી, સંપત્તિ દેજો ભરી..૬

 

સર્વે દેવતાઓના ગર્વ ને ઉતારવા માટે આપે આપના મસ્તકની જ્વાળા થી કામ દેવને ભસ્મ કરી દીધો, હે શીતળ ચંદ્ર ની કાંતિ વાળા, ગંગાજીને ધારણ કરનારા, મુંડકા ની માળા વાળા શિવ અમોને અખૂટ સંપતી પ્રદાન કરો…૬

 

જે કરાલ ભાલ જ્વાલના, પ્રતાપ કામ ક્ષય થયો, ઇંદ્ર આદી દેવનો, મદ તણો દહન થયો.

 ગિરજા સુતાના વક્ષ કક્ષ, ચતુર ચિત્રકારના, ચરણ કમલ શિવ ના, શરણમાં ચીતડું રહે..૭

 

હે શિવ, આપના મસ્તક ની જ્વાળા થી કામદેવ ને ભસ્મ કરી નાંખનારા, ઇંદ્ર જેવા દેવતાઓના અહમ નો નાસ કરનારા, ગિરિજા પુત્રીના વક્ષ સ્થલ પર ચિત્રકારી કરનારા શિવજીના ચરણ કમળમાં સદા મારું ચિત રહે…૭

 

નવીન મેઘ મંડળી, આંધી સમ કંઠ હરિ, હાથી ચર્મ શોભતાં, ચંદ્ર ગંગ શિર ધરી

સકળ જગના ભારને, સહજમાં સંભાળતા, અમ પર ઉપકાર કર, સંપત્તિ પ્રદાન કર..૮

 

નવીન મેઘની ઘટાઓથી પરિપૂર્ણ, અમાસના અંધકાર જેવા ગૂઢ કંઠ વાળા, ગજ ચર્મથી સુશોભિત, ચંદ્ર અને ગંગા ને શિર ધરનારા, જગત ના ભાર ને સહજ માં ધારણ કરનારા શિવજી અમોને અનેક પ્રકારની સંપતી આપો…૮

 

નીલ કમલ સમાન કંઠ, પૂર્ણ પ્રકાશિત કંધ, કાપો સકળ સૃષ્ટિ દુખ, ગજાસુર હંતા.

વિધ્વંસ દક્ષ યજ્ઞ કર, ત્રિપુરાસુર હનન કર, અંધકાસુર કામ હર્તા, નમૂ ભગવંતા..૯  

 

નીલ કમલ જેવા કંઠ વાળા, પૂર્ણ પ્રકાશિત (વિકસિત)કાંધ વાળા, ગજાસુર ને હણ નારા, સમગ્ર સૃષ્ટિ નું દુખ હરો. દક્ષ પ્રજાપતિ ના યજ્ઞ નો વિધ્વંસ કરનારા, ત્રિપુરાસુરને માર નારા, અંધકાસુર અને કામ નો ક્ષય કર નારા, શિવ ને હું નમન કરું છું…૯

કલ્યાણ કારી મંગલા, કળા સર્વ ભ્રમર સમા, દક્ષ યજ્ઞ ભંગ કર, ગજાસુર મારી

અંધકાસુર મારનાર, યમના પણ યમરાજ, કામદેવ ભસ્મ કર્તા, ભજું ત્રિપુરારિ..૧૦

 

મંગલ મય કલ્યાણ કારી ભ્રમરો ની કળા જેવા, દક્ષ ના યજ્ઞ નો ધ્વંસ કરનારા, ગજાસુર અંધકાસુર ને માર નારા, યમ ના પણ યમ રાજ, કામ દેવ ને ભસ્મ કરનાર હે ત્રિપુરારિ હું આપ ને ભજું છું…૧૦

 

વેગ પૂર્ણ સર્પના, ત્વરિત ફૂંકાર ફેણના, ધ્વનિ મધુર મૃદંગના, ડમરુ નાદ ગાજે   

અતિ અગન ભાલમાં, તાંડવ પ્રચંડ તાલમાં, શોભે શિવ તાનમાં, સદા શિવ રાજે..૧૧

 

સર્પોના ફુત્કાર જેવો વેગ ધરાવ નારા, મૃદંગ નો મધુર અવાજ અને ડમરુ નો નાદ કરનાર. લલાટ માં અગ્ની સાથે પ્રચંડ તાલ માં તાંડવ કરનાર શિવ ની શોભા અપરમ પાર છે…૧૧

 

જે પથ્થર કે ફૂલમાં, સર્પ મોતી માળમાં, રત્ન કણ કે રજ મહી, અંતર નહીં આણે

શત્રુ કે સખા વળી, રાજા પ્રજા કમલ કથીર, ગણતા સમાન શિવ, જીવ ક્યારે માણે..૧૨

 

પત્થર હોય કે ફૂલ, મોતી હોય કે સર્પ ની માળા હોય, રત્ન હોય કે માટી હોય, એમાં કોઇ પણ ભેદ ન રાખ નારા, શત્રુ હોય કે મિત્ર હોય, રાજા હોય કે પ્રજા હોય, કમળ હોય કે કથીર, શિવજી સર્વને સમાન માને છે, પણ હું તેમનું ભજન ક્યારે કરું?

 

બનાવી ગીચ કુંજમાં, વસું હું ગંગ કોતરે, કપટ વિનાનો આપને, શિવ અર્ઘ્ય આપું

અથાગ રૂપ ઓપતી, સુંદર શિવા શીશ લખ્યું, મંત્ર શિવ નામનું, સુખ સમેત હું જપું..૧૩

 

કોઇ ગીચ લતા મંડપમાં, ગંગાજી ની કોતરમાં, વસવાટ કરું અને કપટ છોડીને શિવજીને અંજલી આપતાં આપતાં અથાગ રૂપવતી પાર્વતી માતાના મસ્તક પર લખેલા શિવ મંત્રને વાંચીને હું સુખે થી જાપ કરૂં….૧૩

 

દેવાંગના ના મસ્તકે, શોભી રહ્યા જે પુષ્પછે, પરાગ ત્યાંથી પરહરી, પહોંચે શિવ દેહછે

આનંદ અપાવે સર્વ જન, સુગંધને ફેલાવતી, અપાવતી હ્રદય મંહી, પ્રસન્નતા અપાર છે..૧૪

 

દેવાંગનાઓના મસ્તક પર શોભતાં પુષ્પો છે તેમાંથી ઊડતી પરાગ રજ શિવજીના દેહ પરથી પસાર થઈને સર્વે ભક્ત જનો સુધી આનંદ અને સુગંધ ફેલાવેછે, અને હ્રદયને પ્રસન્નતા અપાવેછે…૧૪

 

પાપ હો પ્રબલ ભલે, સમુદ્ર દવ સી કાપતી, સૂક્ષ્મ રૂપ ધારિણી, સિદ્ધિ દાત્રી દેવીઓ 

વિવાહ પ્રસંગે શિવના, ધ્વનિ હતી જે મંત્રની, દુ:ખો મિટાવી સર્વના, વિજય અપાવે દેવીઓ..૧૫

 

પ્રચંડ દાવાગ્નિ ની જેમ કે સમુદ્રમાં લાગેલા દવ ની જેમ, સૂક્ષ્મ રૂપ ધરેલી સિદ્ધિ આપનારી દેવીઓ થી શિવ વિવાહમાં ગાન કરવામાં આવેલ મંગલ ધ્વનિ બધા મંત્રોમાં સર્વ શ્રેષ્ઠ છે, જે બધાના સાંસારિક દુખો મિટાવી ને વિજય અપાવેછે…૧૫

 

નમાવી શીશ શિવને, સ્તવન કરેજે સર્વદા, પઠન કરે મનન કરે, ભજન કરે જે ભાવથી.

જીવ આ જંજાળ થી, મુક્તિને છે પામતો, જીવન મરણ મટે સદા, શિવ શરણ તે રાચતો..૧૬

 

જે શિવજીને શીશ નમાવી, આ શ્લોક ની સ્તુતિ કરે, પાઠ કરે, મનન કે ભાવ થી ભજન કરે,  તે જીવ સંસારની આ જંજાળ માંથી મુક્તિ પામેછે અને જીવન મૃત્યુ ના તાપ માંથી મોક્ષ પામેછે અને સદા શિવજીના ચરણોમાં વાસ કરેછે…૧૬

 

રાવણ રચિત આ સ્તોત્રથી, પૂજન કરે જો શિવનું, પઠન કરે જે સાંઝના, ભાતું ભરે જીવનું. 

ભર્યા રહે ભંડાર સૌ, અશ્વ ગજ ને શ્રી રહે.  સંપતીમાં રાચતો,  ના કદી વિપદ રહે..૧૭

 

શિવ પૂજન ના અંતે સાંજના રાવણ રચિત આ સ્તોત્રથી પાઠ કરે, જાપ કરે તે જીવન નું ભાતું ભરેછે, તેનાં ભંડાર ભાર્યા રહે છે, ધન સંપતીમાં રચ્યો પચ્યો રહે છે, તેને કદી દુખ ભોગવવું પડતું નથી…૧૭

 

રચ્યું જે સ્તોત્ર રાવણે, અનુવાદ શું કરી શકું,  ઉમદા અલંકારને ” કેદાર ” શું સમજી શકું

સહજ બને ભક્તને, એ ભાવથી સરળ કર્યું, પ્રેમથી પૂજન કરે,   એ આસથી અહીં ધર્યું..૧૮

 

શિવજીના મહાન ભક્ત રાવણ દ્વારા રચાએલ આ અતિ ઉત્તમ રચનાને હું સામાન્ય જીવ શું સમજી સકું? છતાં સર્વે ભક્ત જનો ને સરળ ભાષામાં સમજાય, અને પ્રેમથી પૂજન કરી શકે એ આશાએ મેં આ અનુવાદ અહિં રજૂ કર્યો છે…૧૮

 

ઇતિ શિવ તાંડવ સ્તોત્ર અનુવાદ સંપૂર્ણ.

 

અનુવાદક.

કેદારસિંહજી મે. જાડેજા      ગાંધીધામ  94261 40365.

અહંકાર ૐકાર

મન માનસ અને માનવી

અહંકાર જીવનમાં અંધકાર ફેલાવે છે

ૐકાર જીવનને અલંકૃત કરે છે

**

અહંકાર માનવની પ્રગતિમાં અવરોધકારક છે

ૐકાર જીવનમાં પથદર્શક છે.

**

અહંકાર, શરીર જે પ્રભુ પાસે લઈ જવાનું પાત્ર છે તેને દુષિત કરે છે.

ૐકાર શરીરને પવિત્રતા અર્પે છે.

**

અહંકાર, વિદ્યાનો યા લક્ષ્મીનો વિનાશ નોતરે છે

ૐકાર વિનમ્રતાનું પ્રદાન કરે છે.

**

અહંકાર સંસ્કારના દામન પર દાગ છે .

ૐકાર  સંસ્કાર પર ચાર ચાંદ લગાડે છે.

**

અહંકારના ભિતરમાં અ સંતોષનું દુઃખ છુપાયેલું છે.

ૐકારના ભિતરમાં શાંતિ સમાયેલી છે.

**

અહંકારના  આવેશમાં જીંદગીની ગતિ તેજ હોય છે.

ૐકારથી  ભરપૂર જીવન સરળતાથી વહે છે.

View original post

સંથારોઃ મૃત્યુના આવકારનું વિજ્ઞાન

જૈન ધર્મ, દીક્ષા લીધા વિના સંસારમાં જીવતા માણસ કે દીક્ષા લઈ ચૂકેલા સાધુ એમ બંને પ્રકારના માણસને સંથારાની પરવાનગી આપે છે. એટલે ગેરજૈનોમાં જે માન્યતા પ્રવર્તે છે કે, માત્ર જૈન સાધુઓ જ સંથારો લે છે એ માન્યતા ખોટી છે

પાટીદારોની અનામતની માગણીઓ અને વિવિધ શહેરોમાં રેલીઓના નામે થતાં રહેલા એમના શક્તિ પ્રદર્શનોને કારણે જૈનોનો સંથારાનો વિવાદ પાછળ ધકેલાઈ ગયેલો. અધૂરામાં પૂરું આપણા વિઝિટિંગ પી.એમ. થોડા દિવસના ભારત રોકાણ બાદ ફરી દુબઈ તરફ આંટો મારી આવ્યા એટલે એ સમાચારોમાં સંથારાને લગતા સમાચાર અખબારોમાં બોક્સ મેટર બનીને રહી ગયા. પરંતુ થોડા દિવસો પહેલા રાજસ્થાન હાઈકોર્ટે સંથારાને લગતો એક ચુકાદો આપેલો એટલે જૈનોનો સંથારો સમાચારોમાં ભારે છવાયેલો. દેશભરના જૈનોએ રાજસ્થાન હાઈકોર્ટના ચુકાદાની સામે પોતાની નારાજગી વ્યક્ત કરી અને અહિંસામાં માનનારા જૈનોએ ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં મૌન રેલીઓ કાઢી. ઓગસ્ટ મહિનાના પહેલા હપતામાં રાજસ્થાન હાઈકોર્ટે સંથારો લેવાની પ્રક્રિયાને આત્મહત્યા સમાન ગણીને આપણી દંડસંહિતાની કલમ 306 મુજબ ગુનો દાખલ કરવાના આદેશ આપ્યા છે. જૈનોએ આ ચુકાદાને સુપ્રિમ કોર્ટમાં પડકાર્યો છે અને સાથોસાથ કોર્ટને તેમની ધાર્મિક બાબતોમાં ચંચુપાત નહીં કરવાની ભલામણ પણ કરી છે. જૈનો એવી દલીલ કરી રહ્યા છે કે, સંથારો એ સ્વપીડનની પ્રક્રિયા નથી એટલે એને આત્મહત્યા કે મર્સિકિલિંગ ગણી શકાય નહીં. આ ઉપરાંત તેઓ એક બીજો પ્રશ્ન પણ કરી રહ્યા છે કે, અન્ય ધર્મોમાં તો રીતસરની સ્વપીડનને લગતી ક્રિયાઓ હોય છે, તો દેશની અદાલતો કે સરકાર એમના ધર્મોને લઈને આવા ચુકાદા કેમ નથી આપતી?

જૈનોમાં મુખ્યત્વે ચાર ફિરકા છેઃ શ્વેતાંબર, દિગંબર, સ્થાનકવાસી અને તેરાપંથી. એમાં મૂર્તિપૂજક શ્વેતાંબર જૈનો સંથારામાં માનતા નથી અને બાકીના ત્રણ ફિરકા સંથારાને માન્યતા આપે છે. જોકે પેલા ત્રણ ફિરકાના જૈનો કરતાં મૂર્તિપૂજક શ્વેતાંબર જૈનોની સંખ્યા વધારે છે અને ગુજરાતમાં પણ મૂર્તિપૂજકોનું જ પ્રભુત્વ વધુ છે. શ્વેતાંબરોએ ત્રણેક સદીથી સંથારો કરવાનું બંધ કર્યું છે કારણ કે તેઓ એવું માને છે કે, આ કાળમાં એવું કોઈ પરિબળ નથી જે માણસના મનને કાબૂમાં રાખી શકે. અને જો મન જ કાબૂમાં રહેતું ન હોય તો કોઈ તપ કરવાનો કે કોઈ અનુષ્ઠાન કરવાનો અર્થ રહેતો નથી એટલે ત્રણેક સદી પહેલા શ્વેતાંબર પૂર્વાચાર્યોએ સંથારાનો નિષેધ કર્યો હતો. જાણવા જેવું એ છે કે પોતે સંથારાની પ્રક્રિયા કરતા ન હોવા છતાં શ્વેતાંબરો, હાઈકોર્ટના ચુકાદાથી જૈનોના અન્ય ફિરકાઓ જેટલા જ નારાજ છે. આ માટે વાપી ખાતે ચતુર્માસ ગાળી રહેલા જૈનાચાર્ય રવિરત્ન સુરીજી કહે છે કે, ‘હકીકતમાં કોર્ટે આવો નિર્ણય લેવો જોઈતો ન હતો કારણ કે આ ધર્મનો પ્રશ્ન છે અને ધર્મના વિવિધ નિર્ણય સાધુ-સંતો કે ધાર્મિક આગેવાનો જ લેતા હોય છે. કોર્ટે આ બાબત ધાર્મિક આગેવાનો પર છોડી દેવી જોઈતી હતી. આ ઉપરાંત આ દેશમાં અન્ય ધર્મો પણ પ્રવર્તે છે તો કોર્ટ એમાં કેમ હસ્તક્ષેપ નથી કરતી? ઉદાહરણ તરીકે મુસ્લિમો પણ તાજીયા કાઢે છે, જેમાં સ્વપીડનનું જ કૃત્ય હોય છે. એમને ક્યારેય અટકાવવાનો પ્રયત્ન થયો છે? તો જૈન ધર્મમાં આવો હસ્તક્ષેપ કેમ?’

ધર્મની વાત આવે એટલે વાદ-વિવાદ થાય એ સ્વાભાવિક છે. ભારત જેવા દેશમાં ધર્મ અત્યંત સંવેદનશીલ બાબત બની ગઈ છે. કોઈ બાબતમાં તર્ક-તથ્ય હોય કે ન હોય પરંતુ તે વાતને એક વાર ધર્મનું લેબલ લાગી જાય એટલે એ વાતમાં પ્રશ્ન-પ્રતિપ્રશ્ન કરી શકાતા નથી. એ વાતને આખરી, સનાતન માની લેવામાં આવે છે. ઈચ્છામૃત્યુને લઈને આપણે ત્યાં પહેલા પણ વિવાદો થતાં રહ્યા છે. પરંતુ આપણા દેશનો કાયદો ઈચ્છામૃત્યુને અનુમતિ નથી આપતો એટલે જ સંથારાનો વિવાદ પણ ઊભો થયો છે. સંથારામાં નહીં માનતા જૈનો પણ સંથારો એટલે શું એ જાણતા હશે પરંતુ જૈનેતર જાતિના લોકોને આ બાબતે ઉત્સુકતા થઈ શકે છે કે, સંથારો એટલે શું? કોર્ટે તેને આત્મહત્યા કે ઈચ્છામૃત્યુ સાથે કેમ સરખાવવું પડ્યું? અને જૈનોની દલીલ મુજબ સંથારો આત્મહત્યા કે ઈચ્છામૃત્યુથી કઈ રીતે અલગ પડે?

સંથારામાં જૈનો અન્ન-જળ તેમજ સ્થળનો ત્યાગ કરે છે અને ધીરે ધીરે મૃત્યુને આવકારે છે. કેટલાક જૈન મુનિઓ કહે છે કે, આપઘાતમાં માણસ તેની વિકટ પરિસ્થિતિના અંતિમ વિકલ્પ તરીકે હારી-થાકીને મુત્યુને સ્વીકારે છે, જ્યારે સંથારામાં માણસ પોતાના શરીરની વિવિધ જરૂરીયાતોને અતિક્રમીને, તમામ મોહને ત્યજીને શરીરને ધીમે ધીમે કેળવીને તેના અંતિમ શ્વાસ સુધી પહોંચે છે. શરીરના વિજ્ઞાન મુજબ સંથારા દરમિયાન શારીરિક પીડા હોઈ શકે છે પરંતુ સંથારો કરનારી વ્યક્તિ ક્યારેય માનસિક પીડા નથી ભોગવતી એવો દાવો જૈનગુરુ યુગ દિવાકર ગુરુદેવ એમના એક પ્રવચનમાં કરે છે. આત્મહત્યામાં જીવનનો અંત આણવા માટે કોઈ પણ પદાર્થનો ઉપયોગ કરવામાં આવે છે, જ્યારે સંથારામાં પૂરી સમજદારીથી અને સહજતાથી, સગવડતાઓ અને અનુકૂળતાઓ ત્યજીને મૃત્યુને આવકાર આપવામાં આવતો હોય છે.

સંથારો અને આત્મહત્યા વચ્ચેનો ભેદ જાણવા હજુ કેટલાક ઉદાહરણો જોઈએ. યુગ દિવાકર ગુરુદેવ સંથારાને લગતા એક પ્રવચનમાં કહે છે કે, મૃત્યુને આવકારવામાં અને મૃત્યુને બોલાવવામાં ફરક હોય છે. મહેમાનને આપણે આવકારીએ છીએ, જ્યારે નોકર-ચાકરોને આપણે બોલાવીએ છીએ! આત્મહત્યામાં માણસ અત્યંત દુખી થઈને, નેગેટિવ ફિલિંગ્સ સાથે દુનિયામાંથી વિદાય લે છે, જ્યારે સંથારામાં માણસ મોહમાયાનો ત્યાગ કરીને પૂરા આનંદથી પોઝિટિવ ફિલિંગ્સ સાથે વિદાય લે છે. તેઓ સંથારાને જૈન ધર્મમાં અધ્યાત્મિક અનુભૂતિ કરવાના અવસર તરીકે ગણાવે છે. તેઓ એમ પણ જણાવે છે કે, દુનિયાના તમામ ધર્મો જન્મોત્સવ ઉજવે છે જ્યારે જૈન ધર્મ એકમાત્ર એવો ધર્મ છે, જે મૃત્યુનો ઉત્સવ મનાવે છે. એટલે જ કોઈ માણસ જ્યારે સંથારો કરતો હોય ત્યારે તે પ્રત્યેક ક્ષણ મૃત્યુની નજીક જતો હોવા છતાં તે પરમાત્માની નજીક જાય છે, જે વાત તેના માટે આનંદદાયી હોય છે.

જૈન ધર્મની ફિલોસોફી મુજબ આત્મહત્યા દરમિયાન માણસ મૃત્યુને ભેટતો હોવા છતાં એ તેના સંબંધો કે મોહમાયાથી નથી છૂટતો. (કદાચ એટલે જ આત્મહત્યા કરનાર માણસનો જીવ અવગતે જાય છે એવું કહેવાતું હશે!) જ્યારે સંથારામાં માણસ મૃત્યુ આવે એ પહેલા દુન્યવી સંબંધો અને તમામ પ્રકારની માયાનો ત્યાગ કરી ચૂકેલો હોય છે. જૈન ધર્મ, દીક્ષા લીધા વિના સંસારમાં જીવતા માણસ કે દીક્ષા લઈ ચૂકેલા સાધુ એમ બંને પ્રકારના માણસને સંથારાની પરવાનગી આપે છે. એટલે ગેરજૈનોમાં જે માન્યતા પ્રવર્તે છે કે, માત્ર જૈન સાધુઓ જ સંથારો લે છે એ માન્યતા ખોટી છે. અલબત્ત સંથારાની પ્રક્રિયા શરૂ થયા બાદ સંસારી માણસે સંસારની માયા છોડવી પડે છે.

જોકે સંથારાની પ્રકિયાને લઈને જૈન ધર્મગુરુઓમાં મતમતાંતર પ્રવર્તતા હોય એવું લાગી રહ્યું છે. કારણ કે આચાર્ય રવિરત્ન સુરીજીના જણાવ્યાં મુજબ સંથારાની પ્રક્રિયામાં માણસ એક જ ઝાટકે અન્ન-જળનો ત્યાગ કરે છે. તો યુ ટ્યુબ પરના એક વીડિયોમાં યુગ દિવાકર ગુરુદેવ એવી માહિતી આપે છે કે, સંથારામાં માણસ અન્ન-જળનો તબક્કાવાર ત્યાગ કરે છે. સંથારો શરૂ કર્યાં બાદ પહેલા માણસ એક સમયના ભોજનનો ત્યાગ કરે છે, ત્યાર બાદ તે બંને ટાણાના ભોજનનો ત્યાગ કરે છે અને પછી તે ધીરે ધીરે પાણીનો પણ ત્યાગ કરે છે. જૈનોમાં ચાર પ્રકારના આહારની વાતો પણ વીડિયોમાં સુંદર રીતે સમજાવવામાં આવી છે. જૈન ધર્મ મુજબ સંથારો એ માણસની ઈનર ક્લિનિંગ પ્રોસેસ છે. ઈન શોર્ટ જૈન ધર્મની ફિલોસોફી મુજબ મૃત્યુના ઉત્સવને આવકારવાની પ્રક્રિયા એટલે સંથારો, જેને આત્મહત્યા કે ઈચ્છા મૃત્યુ સાથે સાંકળી શકાય નહીં. એવું હું નહીં, ભારતભરના જૈનો કહે છે. કારણ કે આત્મહત્યામાં માણસની જીવન પાસેની અપેક્ષા ખૂટી જાય અથવા તે જીવનથી નાસીપાસ થઈ જાય ત્યારે પલાયન સાધવા મૃત્યુનો વિકલ્પ તરીકે સ્વીકાર કરે છે, જ્યારે સંથારામાં માણસ તમામ અપેક્ષાઓથી ઉપર ઊઠીને મૃત્યુ નામના ઉત્સવને આવકારે છે!

સંથારા અને આપઘાત વચ્ચેનો આ ધાર્મિક ભેદ છે. પણ બંનેનું અંતિમ સત્ય તો મૃત્યુ જ છે. એટલે કોર્ટ આ બાબતે સદંતર ખોટી છે એવું કહેવું પણ વાજબી નથી. ક્યારેક કોઈ વ્યક્તિ નાદાનિયતમાં પણ ધર્મથી પ્રભાવિત થઈને સંથારો લે તો મોટી ઉપાધિ થાય. વળી, થોડા દિવસો અગાઉ રાજકોટમાં તો સંથારાનો એક જુદો જ કિસ્સો પ્રકાશમાં આવેલો, જેમાં ગોંડલના ગાદીપતિ ગિરીશમુનિ મહારાજ સાહેબના સંથારાને લઈને ઘણા વમળો સર્જાયેલા. બીજી તરફ જૈનોના ચારેય ફિરકાના ધર્મગુરુઓ કે સાધુઓ ભલે હાઈકોર્ટના ચુકાદાથી નારાજ હોય પરંતુ જૈન ધર્મના કેટલાક સામાન્ય લોકો અંદરખાને આ ચુકાદાનું સમર્થન પણ કરી રહ્યા છે. જોકે એ વર્ગ નાનો છે અને ધર્મની બાબત હોવાને કારણે એ વર્ગ ખુલ્લેઆમ ચુકાદાનું સમર્થન નથી કરતો. લેખમાં એમનો મત ઉમેરવા માટે મેં ઘણો પ્રયત્ન કર્યો પરંતુ એ તમામે વિવાદના ડરથી મિચ્છામિ દુક્કડમ જ કર્યું હતું.

http://www.khabarchhe.com/magazine/a-article-on-santharo/

 

દાદાઈ ગુરુવાણીનો લાખેણો સત્સંગ….ગુરુ પૂર્ણિમા…સંકલન-રમેશ પટેલ(આકાશદીપ)…

આકાશદીપ

દાદાઈ ગુરુવાણીનો લાખેણો સત્સંગ….

ગુરુ પૂર્ણિમા….અષાઢ સુદ પૂનમ..૩૧ જુલાય, ૨૦૧૫… કોઈ પુણ્યવંતી ક્ષણે..સત્સંગનું સૌભાગ્ય ..જ્ઞાની પુરૂષ”દાદાશ્રી ભગવાન’ ની વાણી ,દર્શન ને જ્ઞાનની ચરણ વિધિ  અમે પામ્યા..કવિશ્રી નવનિતના પદમાં કહું તો…’શ્રુતવાણી સત્સંગ અમારું જીવન’..જ્ઞાતા-દૃષ્ટાની અનુભવ દશાનો પથ મળ્યો…જ્ઞાનીનું પ્રત્યક્ષપણે બોલવું ને સાંભળવું ને’ મતિજ્ઞાને’ જાગૃતિનો સંજોગ જે ઊભો થયો ને ખૂલ્યો..તેની સૂક્ષ્મતા સમજાઈ….ને મનને નીરોગી કરવાની કૃપા મળી. એ પુણ્ય સ્મરણ સાથે…’દાદા ભગવાનના અસીમ જયજયકાર’ ના મંત્રથી ગુરુ ચરણે શતશત વંદન કરી ધન્ય થઈએ…

વણાકબોરી થર્મલ પાવર સ્ટેશન…દાદાશ્રી ભગવાનના આશિષ..સત્સંગી  રમેશભાઈ ને શ્રી સીરીષભાઈ દોશી

કૃપાળુ દેવ…શ્રીમદ રાજચંદ્રજીએ કેવી ગેરેન્ટી આપી…જે કોઈએ આપી નથી!

પ્રગટ આત્મા સત્પુરુષ માં વર્તે છે શાસ્ત્ર માં નહિ, “…મેં બધાં જ શાસ્ત્રો જોયેલાં છે ને તમને ગેરેન્ટી આપું છું કે ..એ સિવાય મોક્ષનો બીજો માર્ગ નથી…

એટલે જ તમને આ દાદાશ્રી કહે છે કે..”સત્પુરુષનો યોગ કરો”.

પ્રશ્ન કર્તા…દાદાશ્રી ..સંત પુરૂષ ને સત્પુરુષ માં શો ફેર?

આખા જગની કલ્યાણ કરવાની જેની ભાવના હોય ,એમને ફક્ત મનમાં એ જ…

View original post 518 more words

‘મિચ્છામિ દુક્કડમ્’ …. સંકલન-રમેશ પટેલ(આકાશદીપ)..

આકાશદીપ

 
 
(Thanks to webjagat for this picture)

સૌને ‘મિચ્છામિ દુક્કડમ્ ‘                 સૌને ‘મિચ્છામિ દુક્કડમ્’          સૌને  ‘મિચ્છામિ દુક્કડમ્’

 

આત્મજ્ઞાનીની વાણી–

આત્મા તો પરમાત્મા સ્વરૂપી છે. આત્મા ‘ચૈતન્યધની ‘ છે…ચૈતન્યનો અર્થ અનંત જ્ઞાન, અનંત દર્શન, જે ફક્ત આત્મામાં જ છે.ઘડાની અંદર લાઈટ હોય તો, બહાર ના આવે, તેમ આ આત્મા જેટલા આવરણે

બંધાયો, કર્મકલંક લાગે ને શક્તિ આવરાય. જે ઈન્દ્રીય ભેદાય એટલું આત્મતત્ત્વ પ્રકાશ ધરે.પાંચ ઈન્દ્રીય ડેવલપમેન્ટ એટલે જ મનુષ્ય જન્મ.જીવમાત્રને નાભિ ‘સેન્ટર’ આગળ આત્માના આઠ પ્રદેશો જ ખુલ્લા હોય, જેને લીધે આ જગના વ્યવહારની પીછાણ થાય ને દરેક જીવને ગુંચવણ નથી પડતી.આ આઠ પ્રદેશો આવરાયતો કોઈ કોઈને ના ઓળખી શકે…ઘેર પાછોય ના આવે.’જ્ઞાની પુરૂષ’નાં બધાંય આવરણો તૂટી ગયાં હોય ને સ્વરૂપ જ્ઞાને આનંદ માણે.બ્રહ્માંડે પ્રકાશવાની આત્મ શક્તિ એજ કેવળ જ્ઞાન.જાણવાની બાબતમાં આત્મા ‘વેદક’ છે, જ્યારે  ખમવાની બાબતમાં ‘નિર્વેદક’ છે. નિર્વેદ એટલે મન,વચન,કાયા એ ત્રણેય ઈફેક્ટીવ હોવા છતાં પોતે ‘અનઈફેક્ટીવ’ રહે..વેદના ખમતા જાય ને તેના આધારે નિર્વેદ કહેવાય.સિધ્ધભગવાન થાવ ત્યારે મન, વચન, કાયા નહોય એટલે…

View original post 445 more words

,હાથે કરી તમારા પગ ઉપર કુહાડી નાં મારો

વિનોદીની..

કદાચ મારી આજની પોસ્ટ એ કોઈ બોધપાઠ નથી બસ મારા વિચારોને વ્યક્ત કરું છું
ખાસ :કોઈએ બંધબેસતી પાધડી પહેરવી નહિ !!! આજકાલ વ્યસ્ત અને ઝડપી જીવનમાં હું જે જોતી સમજતી આવી છું તે ઉપરથી આ લખવાની ઇચ્છા થઇ આવી છે બસ।

હું આજે મારા માબાપ ની આંખોનો તારો છું , કાલે હું તેમની આંખોનું નુર બનીશ
હું આજે મારા માબાપના ટેકાથી આગળ વઘ્યો છું,કાલે તેમની હાથ લાકડી બનીશ

આવા ગીતો ગાનારા બહુ સાભળ્યા પણ આવા ગીતોને પાળનારા આજની દુનીયામાં કેટલા?

જ્યારે પણ સાંભળું છું કે જોઉં છું કે ઘરડા માં બાપ તેમના દીકરા વહુને માટે ઘરના ખૂણાનું જુનું પુરાણું ફર્નીચર માત્ર રહી જાય છે ત્યારે દુઃખ સાથે આક્રોશ અનુભવું છું ,
આવી વહુઓ માટે ફક્ત બેજ લાઈન કહીશ કે તમારા ઘરડાં સાસુ શ્વસુર સાથે અણછાજતો વ્યવહાર કરતા પહેલા એક વાર તમારા પોતાના મા બાપને આવી પરીસ્થિતિ માં મૂકી જોજો, જો તમારું મન જરા પણ દુભાય નહિ તો આવા અણછાજતા વર્તન…

View original post 426 more words

આટલું તો આપજે ,ભગવાન મને છેલ્લી ઘડી ,

આટલું તો આપજે ,ભગવાન મને છેલ્લી ઘડી ,
ના રહે માયા તણાં બંધન મને છેલ્લી ઘડી .

આ જિંદગી મોંઘી મળી પણ જીવનમાં જાગ્યો નહીં ,
અંત સમયે મુજને રહે, સાચી સમજ છેલ્લી ઘડી,

હાથ પગ નિર્બળ બંને જો શ્વાસ છેલ્લા સંચરે
તું આપજે ત્યારે પ્રભુમય મન મને છેલ્લી ઘડી

હું જીવનભર સળગી રહ્યો, સંસારના સંતાપથી ,
તો આપજે શાંતિભરી નિદ્રા મને છેલ્લી ઘડી,

જયારે મરણ શૈયા પરે, મિચાય છેલ્લી આંખડી ,
તું આપજે ત્યારે પ્રભુ, દર્શન મને છેલ્લી ઘડી,

અગણિત અધર્મો મેં કર્યા ,તન મન,વચન, યોગે કરી,
હે ક્ષમાસાગર! ક્ષમા મુજને આપજે છેલ્લી ઘડી,

અંત સમયે આવી મુજને, ના દમે ઘટ દુશ્મનો ,
જાગૃતપણે મનમાં રહે તારું સ્મરણ છેલ્લી ઘડી,
( અજ્ઞાત સંત)
( આ પ્રાર્થના રોજ એક વાર વાંચવી. પ્રાયશ્ચિત એક શ્રેષ્ઠ અનુભવ છે અને તે દ્વારા ઘણા કર્મોનો ક્ષય થાય છે. આ અંત સમયની પ્રાર્થના તો છેજ પણ રોજ એક વખત વાંચવાથી મદ અને અભિમાન નાં રોગો આત્માને લાગતા નથી એવું કંઈક અલ્પમતિ મને જણાય છે. જે કોઇ )